શ્રી નગીનદાસ જીવણલાલ શાહ : સંસ્મરણો (જન્મ : ઈ.સ. ૧૯૩૧ - દેહાવસાન : ૪-૧-૨૦૧૪) સાયલા (જિ. સુરેન્દ્રનગર)
By C. V. Raval
Summary
શ્રી નગીનદાસ જીવણલાલ શાહ : સંસ્મરણો જન્મ : ઈ.સ. ૧૯૩૧ - દેહાવસાન : ૪-૧-૨૦૧૪) સાયલા (જિ. સુરેન્દ્રનગર) સી. વી. રાવલ વટવા જૈન આશ્રમ તથા શાળા, શેઠ ચી. ન. છાત્રાલય અને શ્રી મહાવીર જૈન વિઘાલય (અમદાવાદ) તેમજ ચી.ન.વિદ્યાવિહારમાં અભ્યાસ, તેમજ ગુજરાત કોલેજ તથા ભો.જે.અધ્યયન અને સંશોધન વિદ્યાભવનમાં ઉચ્ચ અભ્યાસ. ભારતીય સંસ્કૃતિના અને સનાતન હિન્દુ ધર્મના સૂક્ષ્મ રહસ્યોનાં મૂળમાં આપણા વેદો અને સંસ્કૃત ભાષા છે. ભારત એ સંતોની ભૂમિ છે. ભારતીય સંતોએ અને ભક્તોએ આ રહસ્યોને સરળતાથી સામાન્ય માણસ સમજી શકે, વિચારી શકે અને જીવનમાં ઉતારી શકે એ રીતે આપણને સમજાવવાનું ભગીરથ કામ કર્યું છે. સહજ રીતે જીવનમાં ઉતારીને તેમણે કહેલી આધુનિક યુગની થોડી વાત કરીએ : | કોઈ અધ્યાપકની પોતાના વિષયની નિપુણતા અને સજ્જતા સુશ્લિષ્ટ અને A% હોય છે, તો વળી બીજા કોઈ અધ્યાપકની રજૂઆત પ્રભાવક અને પ્રસન્નકર હોય છે; પરંતુ જે અધ્યાપકમાં વિષયનું તલસ્પર્શી જ્ઞાન અને મર્મસ્પર્શી રજૂઆત, બનને પ્રભાવક હોય તેને અધ્યાપકોમાં શિરમોર ગણવામાં આવે છે. કોઈપણ પ્રકારની અત્યુક્તિ વિના કહી શકાય કે ડો.નગીનભાઈ શાહ વિષયની વિદ્વત્તા, વિશિષ્ટ વાક્ કુશળતા અને ચિંતનની મૌલિકતા એમ બધી જ રીતે શિરમોર હતા ! ભર્તૃહરિનો શબ્દપ્રયોગ કરીને મને એમ કડેવાનું મન થાય છે કે પ્રિયમિત્ર ડો.શાહ 'શાત્ત્રોષસ્ગૃત્ત' પંડિત હતા. એમણે ઉચ્ચવિધા અને સંશોધનના ક્ષેત્રે જે ગ્રંથો લખ્યા છે કે સંપાદિત કર્યા છે તેમાનાં, ઘણા ગ્રંથો વાંચીને હું મારા અજ્ઞાનથી પ્રભાવિત થઈ ગયો છું. તેમના મનમાં કશો રાગ-દ્ેષ AR, કામ, કોધ, મોહ, લોભ, મદ અને મત્સરને તેમણે જીતી લીધેલા. નિરાભિમાની મિત્ર, મોઢે કહી દે, પણ દંભની વાત નહિ (मनस्येक॑ बचस्येक कर्मण्येक॑ महात्मनाम् 1) . વસુંધરાના તપ જયારે ઉજાગર થાય ત્યારે આપણને આવા ऋषि જેવા માણસ મળે, જે માનવ સંસ્કૃતિનું ગૌરવ છે અને ભારતભૂમિનું ઘરેણું છે. ડો.શાહના ગ્રંથોમાં, વક્તવ્યોમાં, વિશિષ્ટ અભિવ્યક્તિ ક્ષમતા, વાગ્વેદગ્ધ્યયુક્ત બહુ આયામી આરૂઢ વિદ્વાનની પ્રતિભાનો સંસ્પર્શ વાચક-ભાવકને થયા વિના રહેતો નથી. જેને કારણે તેમને ઉચિત 92 _ सी. વી. રાવલ 50080011 રીતે જ અનેક વિદ્યા-સંસ્થાઓ, વિશ્વવિદ્યાલયો દારા ઉચ્ચ ઉપાધિઓ અને સમ્માન પ્રાપ્ત થયાં છે. અતિ विद्वान વકતા-લેખકો-ના કથયિત્વ-લેખનમાં ઘણીવાર દુર્બોધતા અને જટિલતા પ્રવેશી જતાં જોવામાં આવે છે. પરંતુ ડૉ.શાહના સર્જનમાં અને વક્તવ્યમાં ઉપર્યુક્ત કિલષ્ટતા કે દુર્બોધતાનો સુખદ અભાવ જોવા. મળ્યો છે. અધ્યાત્મશાસ્ર કે તત્ત્વજ્ઞાન જેવા દુર્બોધ ગણાતા વિષયોના નિરૂપણ તેમજ અભિવ્યક્તિમાં પારદર્શિતા અને પ્રાસાદિકતાનો અનુભવ થાય છે. પરંતુ તે ક્યારે શક્ય બને ? જો લેખક કે વક્તાએ એ વિષયને સાચે જ આત્મસાત્ કર્યો હોય તો. તેમણે સાહિત્ય, ધર્મ, તત્ત્વર્ચિતનના સંશોધન-અધ્યયન- વિવરણ-વિવેચનક્ષેત્રે માતબર ગણનાપાત્ર પ્રદાન કર્યું. તેમની કર્તવયનિહા, સાહિત્ય-સાધના, આધ્યાત્મિકતા, सिद्धांत नि, કે સ્વમાનભાવના સાથે પરમાર્થ પરાયણતા આપણને અભિભૂત કરે એવાં હતાં. એમનું આભિજાત્ય સાચા સાક્ષરને શોભે એવું હતું; આથી જ તેમને આધુનિક
Conclusion
પુસ્તકોનો में વિઘાર્થીઓને ભણાવતી વખતે સારો લાભ લીધેલો. આ બધામાં નિમિત્ત કારણ તો પ્રા.પશાંત દવે જ. તેમનો મહાનિબંધ ‘Akalanka's Criticism ૦ Dharmakirti's Philosophy’ પુસ્તક રૂપે છપાયા બાદ ગુજ.યુનિ.ના તત્ત્વજ્ઞાનના અનુસ્નાતક કક્ષાના વિધ્યાર્થીઓને ભણાવતી વખતે મને ખૂબ ઉપયોગી નીવડેલ. લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરને તેમની સેવાનો સારો લાભ મળ્યો છે એમ કહી શકાય. ભારતીય દર્શન પરનાં તેમનાં પુસ્તકો “ન્યાય-વૈશેષિક' તથા 'સાંખ્ય-યોગ' એ ઉત્તમ વિદ્દાનની સાક્ષિ પૂરે છે. તેઓ આપણી વચ્ચે વધુ રહ્યા હોત તો બાકીના બે ગ્રંથો 'પૂ.મીમાંસા' અને “ઉ.મીમાંસા'ની ખોટ પૂરાઈ જાત અને આપણને ષડ્દર્શન ગ્રંથમાળા પૂર્ણપણે મળી શકત પરંતુ . ..:હરિ ઇચ્છા બળવાન- ખેમજ માનવું રહ્યું..... | इति अलम् WM M