પ્રો. નગીનભાઈ શાહ : સંસ્મરણો
By Nilanjana S. Shah
Summary
- "l પ્રો.નગીનભાઈ શાહ : સંસ્મરણો નીલાંજના શાહ માનનીય શ્રી નગીનભાઈ શાહે, કોલજકાળ દરમિયાન જ ભારતીય દર્શનોનો ઊંડો અભ્યાસ કરવાની તીવ્ર જિજ્ઞાસાથી પ્રેરાઈને, તેમને લગતા ગ્રંથોનું અધ્યયન કરવાનું શરૂ કરી દીધું હતું. કોલેજમાંતતા અધ્યાપનનકાળ દરમિયાન અને ખાસ કરીને સ્વેચ્છિક નિવૃત્તિ લીધા બાદ, તેમણે તે દર્શનોને લગતાં પુસ્તકોનાં સંશોધન-સંપાદન કાર્યને જ જીવન સમર્પિત કર્યું છે, એમણે જે અમૂલ્ય યોગદાન કર્યું છે, તેને બિરદાવવા માટે શબ્દો ઓછા પડે છે. ષડ્દર્શનોમાંના, સાંખ્ય-યોગ, ન્યાય-વૈશેષિક અને બૌદ્ધ - એ દર્શનો વિશે ગુજરાતીમાં એમણે જે પુસ્તકો લખ્યાં છે, તે આજે પણ અધ્યાપકોને, એ વિષયો પરના આદર્શ કહી શકાય તેવા માર્ગદર્શક ગ્રંથોની ગરજ સારે છે, તો 'શાંકર વેદાંત આવિઘા વિચાર' પુસ્તક વેદાંતના અભ્યાસીઓ માટે ઘણું ઉપયોગી નીવડ્યું છે. પંડિત વિધુશેખરના બૌદ્ધ ધર્મ પરના અંગ્રેજી પુસ્તકનો “બૌદ્ધ ધર્મની પાયાની વિભાવના' એ નામે એમણે કરેલો ગુજરાતી અનુવાદ પણ ખાસ નોંધપાત્ર છે. જૈન દર્શનનો વિચાર કરીએ તો, તેને લગતું એક પણ પાસું એવું નથી કે જેને નગીનભાઈની કલમને ચેતનાવંતો સ્પર્શ ન થયો હોય ! જયંતભટની 'ન્યાયમંજરી'નો સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરીને, એમને જાણે સંતોષ A થયો હોય, તેમ એના વિસ્તૃત અભ્યાસને આવરતાં ત્રણેક પુસ્તકો એમણે લખીને પ્રકાશિત કર્યા. હેમચંદ્રાચાર્યની “પ્રમાણમીમાંસાં'નો પણ સંસ્કૃતમાંથી ગુજરાતીમાં અનુવાદ કરી, એ પુસ્તકને જિજ્ઞાસુઓ માટે સુલભ કરી આપ્યું. - 'ધર્મકીર્તિની ફીલસૂફીની અકલંકે કરેલી ટીકા” - પરનો અંગ્રેજીમાં લખેલો તેમને પીએચ.ડી. પદવી માટેનો માન્ય મહાનિબંધ પુસ્તકરૂપે જયારે પ્રકાશિત થયો, ત્યારે આંતરરાષ્ટ્રીય Qg તેની મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. અંગ્રેજી ભાષા પરના શ્રી નગીનાઈના પ્રભુત્વને કારણે મુનિશ્રી ન્યાયાવિજયજીના “જૈન ફિલસૂફી અને ધર્મ પના ગુજરાતી પુસ્તકનો સુંદર અનુવાદ કર્યો. “જેન આગમસાહિત્યના ઇતિહાસ'નું એમણે પુનર્લેખન કરી આપ્યું તો, જૈન કાવ્યસાહિત્ય' પરતા દળદાર હિંદી ગ્રંથનો, સાહિત્યરસિકો માટે, એમણે ગુજરાતીમાં અનુવાદ કરી આપ્યો. 'પ્રાકૃત ગાહારયકોસ' ની અપ્રકાશિત હસ્તપ્રતની પ્રસ્તાવના અને જરૂરી નોંધો સાથે સંપાદન કરી, ગાથાઓના તે પ્રાકૃત કોશને પ્રકાશિત કર્યો. ૪૦. XXXVII, 2014 પ્રો.નગીનભાઈ શાહ : સંસ્મરણો 97 આ ઉપરા “અધ્યાત્મબિન્દુ', “જૈનપ્રકરણસંગ્રહ', “જનનચંદ્રોદય નાટક' અને તત્ત્વચિતામણિ પરની ગુણરત્નની ટીકા - વગેરે સંસ્કૃત કૃતિઓ જે હસ્તપ્રતરૂપે હતી, તેમનું પ્રસ્તાવના અને વિવેચનાત્મક નોંધો સહિત સંપાદન અને પ્રકાશન કર્યું. તે સિવાય એમના ચાલીસેક સંશોધન લેખોમાં પણ દર્શનવિષયક એમના અગાધ પાંડિત્યની પ્રતીતિ થાય છે. શ્રી નગીનભાઈના આવા ઉત્કૃષ્ટ કહી શકાય એવા શોધન અને સંપાદન કાર્યની કદરદાની રૂપે દેશની ઉત્તમ સંસ્થાઓ દ્વારા અપાયેલા પુરસ્કારો અને એવોર્ડોથી સન્માનીય થવા છતાં, નથી ક્યારેય એમણે પોતાની પ્રશંસા કરી કે નથી પ્રસિદ્િની કે સન્માનની સામેથી ખેવના કરી, એવો એમના નિ:સ્પૃહ સ્વભાવ હતો ભારતીય દર્શનોના આ સુવિખ્યાત વિદ્વાન સંશોધકે, ઉચ્ચ નૈતિક મૂલ્યોને જીવનમાં ચરિતાર્થ કરીને, એક ન્ઞિખાલસ, સરળ, સહૃદયી માનવી તરીકે જે ઊંચાઈઓને સર્ કરી છે તે એમની સંશોધનક્ષેત્રની સિદ્ધિઓ જેટલી જ
Conclusion
દ્વારા અપાયેલા પુરસ્કારો અને એવોર્ડોથી સન્માનીય થવા છતાં, નથી ક્યારેય એમણે પોતાની પ્રશંસા કરી કે નથી પ્રસિદ્િની કે સન્માનની સામેથી ખેવના કરી, એવો એમના નિ:સ્પૃહ સ્વભાવ હતો ભારતીય દર્શનોના આ સુવિખ્યાત વિદ્વાન સંશોધકે, ઉચ્ચ નૈતિક મૂલ્યોને જીવનમાં ચરિતાર્થ કરીને, એક ન્ઞિખાલસ, સરળ, સહૃદયી માનવી તરીકે જે ઊંચાઈઓને સર્ કરી છે તે એમની સંશોધનક્ષેત્રની સિદ્ધિઓ જેટલી જ પ્રશંસાને પાત્ર છે લા.દ.વિદ્યામંદિરના નિયામક તરીકે સંસ્કૃત સુભાષિતોને લગતી અમુક હસ્તપ્રતોનું પ્રકાશન અને સંપાદન કરવા માટે, તેમજ મારા અમુક લેખો સંબોધિમાં પ્રકાશિત કરીને, લખવા માટે, મને પ્રેમથી પ્રોત્સાહન આપવા માટે, હું મુ.શ્રી નગીનભાઈની ગણી છું. આ લખાણ દ્રારા એ દિવગંત આત્મના અંજલિ અપું છું