પૂ.સ્વ. શ્રી નગીનદાસભાઈ શાહને સ્મરણસુમનાંજલિ
By Parul N. Mankad
Summary
પૂ.સ્વ. શ્રી નગીનદાસભાઈ શાહને સ્મરણસુમનાંજલિ પારુલ માંકડ પૂ.સ્વ.શ્રી નગીનભાઈને सनु ૧૯૭૩ થી ૧૯૭૫ના મારા એમ.એ.ના અભ્યાસકાળ દરમિયાન ભાષાસાહિત્ય ભવનમાં સંસ્કૃત વિષયમાં સાંખ્ય-યોગ દર્શન ભણાવવા માટે મુલાકાતી અધ્યાપક તરીકે વર્ગ લેવા આવતા-જતા ત્યારે હું તેમને એક ધીર-ગંભીર છતાં અલ્પહાસી વ્યક્તિ તરીકે જોતી. બધાં શાસત્રોના વર્ગો હંમેશા એક સાથે ચાલતા એટલે એ સમયે એક AR અધ્યાપક સિવાય મારે તેમની સાથે બીજો કોઈ પરિચય ન હતો. અર્થાત્ વાતચીતનો સંબંધ ન હતો અને એક આદરણીય અધ્યાપક તરીકે મને તેમના પ્રત્યે માન ઉપજતું, ભલે દર્શન મારો વિષય નહતો. આમ તેમના શાંત-ગંભીર વ્યક્તિત્વની છાપ મારા ચિત્ત પર જરૂર પડી હતી. હોશિયાર સહાધ્યાયીઓ પણ તેમના દર્શનશાસ્ત્રના જ્ઞાન અંગે હંમેશાં પ્રશંસાના પુષ્યો પાથરતા રહેતા અને સામાન્ય વિદ્યાર્થીઓને તેમની વાણી થોડી અઘરી પણ લાગતી. | ટૂંકમાં તેમના વ્યક્તિત્વને 'વારિવેત્તસમાવારા' (નારિકેળના જેવા)ની ઉપમા આપી શકાય. તેઓ બહિર્ગભીર-બહારથી ગંભીર પ્રકૃતિના અને આંતરિક રીતે By, સહૃદયી વ્યક્તિ હતા. જો કે તેમના સ્વભાવનો સ્નેહાળ, સહૃદયી. પાસાંનો પરિચય મને છેક ઈ.સ. ૧૯૮૫માં જ્યારે में પોસ્ટ ડોક્ટરલ રીસર્ચનું કાર્ય - યુ.જી.સી.ની યોજના હેઠળ 'રીસર્ચ એસોસીયેટશીપ' (RA) કાર્ય શરૂ કર્યું ત્યારે થયો. આ કાર્ય દરમિયાન યુ.જી.સી.તા નિયમ પ્રમાણે રીસર્ચ એસોસીયેટે કાર્ય કરવા માટે એક સંસ્થા પસંદ કરવાની હોય છે. જે યુનિવર્સીટી સાથે સંલગ્ન હોય અને એ જ સંસ્થાન! કોઈ પણ પ્રોફેસરને “સુપરવાઈઝર” તરીકે પસંદ કરવાના હોય છે. હવે મારા વિધ્યાગુરુ સ્વ.ડૉ.તપસ્વી નાન્દીસાહેબ જેઓ સ્વ.ડો.નગીનભાઈ શાહના પણ મિત્ર હતા, તેમનો આગ્રહ હું વિશ્વવિખ્યાત એલ.ડી.ઇન્સ્ટીટયૂર ઓફ ઇન્્ડોલોજીને સંસ્થા તરીકે પસંદ કરી રીસર્ચ એસોસીયેટશીપનું કાર્ય કરું તેવો હતો. તેઓશ્રી એ સમયે ભાષા-સાહિત્ય-ભવનમાં (એલ.ડી..ું, લીએન.પૂરું થતાં) સંસ્કૃતના અધ્યાપક તરીકે પુનઃ જોડાવા જઈ રહ્યા હતા. તેમણે મને ડો.નગૌનભાઈ શાહ જેઓ એલ.ડી.માં દર્શનશાસ્રના પ્રોફેસર તરીકે સેવા બજાવતા હતા મારા સુપરવાઈઝર તરીકે યોગ્ય છે તેવું સૂચન તેઓશ્રી નાન્દી સાહેબે કર્યું. પરંતુ હું મુંઝાઈ ગઈ કારણ કે તે સમયે પણ મને તેમનો 108 પારુલ માંકડ SAMBODHI આછો પરિચય જ હતો, પરંતુ નગીનભાઈની ઉદારતા કેવી કે નાન્દીસાહેબની વાત તેમણે તરત જ સ્વીકારી લીધી અને મારા સુપરવાઈઝર થવાની હા ભણી. ત્યારબાદ મારું 'કાવ્યપ્રકાશના ત્રણ સંકેતો (= સુય્યક, સોમેશ્વર અને માણિક્યચન્દ્રકૃત)ના અધ્યયનનું કાર્ય શરૂ થયું. તે સમયના બે પ્રસંગોનો અત્રે ઉલ્લેખ કરું છું. અલંકારશાસ્રના અધ્યયનમાં ક્યારેક ન્યાયની પરિભાષાઓ આવતી માણિક્યચન્દ્રકૃત સંકેત ટીકામાં વિભાવના-વિશેષોક્તિ ઇત્યાદિ અલંકારોતી ચર્ચામાં બાધ્ય-બાધક ભાવ, તથા વાક્યન્યાય ઇત્યાદિ ્યાયમ્લક અલંકારોની ચર્ચા દરમિયાન કેટલાક ન્યાયો વિશે સમજવામાં મને મુશ્કેલી પડતી હતી. તેમણે આ બધી ગૂત્થીઓ અત્યંત સહૃદયતાપૂર્વક ખૂબ જ વિશદતાથી સમજાવી અને આખો વિષય स्पष्ट કરી આપ્યો હું તેમના અગાધ જ્ઞાનથી લાભાન્વિત થઈ. તે માટે તેમની આભારી છું. બીજો પ્રસંગ છે 8... ના બે વર્ષ લંબાવવા માટે તેમના અભિપ્રાયની આવશ્યક્તા હતી (અને તો જ મારી
Conclusion
મારો ₹.&. માટેનો શોધપ્રબન્ધ પૂર્ણ કરેલો. ભો.જે. વિઘાભવનમાં “જૈનદર્શનમાં શ્રદ્ધા સમ્યગદર્શન), મતિશ્ઞાન અને કેવલશાનની વિભાવના” - આ શીર્ષક હેઠળ તેમનાં ત્રણ વ્યાખ્યાનો યોજાયેલાં જે સાંભળવાનો લાહવો મને મળેલો તેમની સૂક્ષ્મેલિકાપૂર્વકની વિવેચના, અઘરા વિષયને સરળ બનાવી દેવાની કુશળતા, સાનંદ આશ્ચર્ય પમાડે તેવી હતી. સંક્ષેપમાં તેમની કુશાગ્ર બુદ્ધિ, નિર્મળ પતિભા, સત્ય ધર્મ u ઊંડી આસ્થા, દુરુહ વિષયતે હસ્તામલકવત્ કરી આપવાની સંસિદ્ધિ, મુખ पर આછું સ્મિત સો કોઈ પ્રત્યે એકસરખી સ્ેહાળતા, Bl અને મિતભાષિતા ઇત્યાદિ ગુણો અવિસ્મરણીય છે. _ તેમનો દિવ્ય આત્મા અને તેમનો અક્ષરદેડ આજે પણ સોને પ્રેરણાપીયૂષ પાય છે - પાતો રહેશે - આવી શ્રદ્ધા સાથે તેમને પ્રણામ કરીને વિરમું છું.