શૃંગારરસ અને સતીપ્રથા : એક નોંધ
By Rajendra Nanavati
Summary
શ્રુંગારરસ અને સતીપ્રથા : એક નોંધ રાજેન્દ્ર નાણાવટી અઢારમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં સંસ્કૃતના એક વિદ્વાન્ આચાર્ય થઈ ગયા. એમનું નામ આશાધર રામજી ભટ્ટ. તેઓ કાવ્યશાસ્દર, વેદા'્તત, વ્યાકરણ, ન્યાય આદિ શાસ્રોના વિદ્વાન હતા. એમના વિવિધ શાસ્ત્રોના નવેક પ્રકરણગ્રંથો કે ટીકાગ્રંથો પ્રાપ્ત થાય 8. कोविदान्द; અને ત્રિવેખિવા નામના શબ્દશક્તિ ઉપરના એમના બે પ્રકરણગ્રંથો વિદ્વાનોમાં જાણીતા અને આદત થયા છે. બ્યૂહ્નર, पिटर्सन, ઓફેખ્ટ, કાણે જેવા વિદ્વાનો એમને નગર વસો (તા.પેટલાદ, જિ.નડિયાદ)ની પાઠશાળાના આચાર્ય ગણાવે છે. આનન્દકુમાર શ્રીવાસ્તવ જેવા વર્તમાન વિદ્વાનો પણ એ પતનો સ્વીકાર કરે છે. પરંતુ ગઈ સદીમાં આશાધરરચિત એક વિરલ કાવ્યશાસ્રીય o, रसिकानन्द:नी, એકમાત્ર) પ્રત સાંપડી છે જે અત્યારે પ્રાચ્યવિધ્યા મંદિર, વડોદરામાં સચવાયેલી છે. રસિ્ઞાનનર્:નો વિષય મુખ્યત્વે રસનિરૂપણનો છે. ગ્રંથને અંતે જે કવિપ્રશસ્તિના શ્લોકો છે તેમાં મળતી માહિતી મુજબ નર્મદાને કાંઠે આવેલા ભૃગુકચ્છ નામના નગરમાં દયાળુદાસના પુત્ર લલ્લુભાઈ અધિકારી થઈ ગયા, તેમના આશ્રિત આશાધર પંડિતે આ ગ્રંથ રયો છે. લલ્લુભાઈ સા.સં. ૧૭૭૫ના અરસામાં ભરૂચના નવાબ મોજૂઝખાનના દીવાન હતા અને ૧૭૯૩ સુધી ચારેક દાયકાના સમયગાળામાં ભરૂચમાં તેમનો પ્રભાવ હતો. એમના નામે લલ્લુભાઈના ચકલાનો વિસ્તાર ભરૂચમાં આજે પણ જાણીતો છે. દીવાન તરીકે ભરૂચના ઈતિહાસમાં એમનો ઠીકઠીક ફાળો છે. એમના વિશે આશાધર ત્યાં ઉમેરે છે : यस्य પ્રિય भागवत पुराणं/ तदुक्तधर्माचरणं च शश्चत् (रसिकानन्द:-प्र.१३, શ્લોક ૪૪) (એમને ભાગવત પુરાણ અને તેમાં વર્ણવેલ ધર્મનું આચરણ હંમેશા પ્રિય હતું.) લલ્લુભાઈ વૈષ્ણવ અને સંભવતઃ પુષ્ટિ સંપ્રદાયના અનુયાયી હતા અને ભાગવત પુરાણમાં એમની ઘણી આસ્થા હતી. આથી એમના ઓઆશ્રિત આશાધર પંડિતે रसिकानन्द:मां, રસોનું નિરૂપણ કરતી વેળાએ તમામ ઉદાહરણો કયાં તો પ્રત્યક્ષ ભાગવત પુરાણના પ્રસંગોમાંથી અથવા ભાગવતને આધારે ગુજરોતમાં પ્રસરેલી કૃષ્ણભક્તિને અનુલક્ષતાં આપ્યાં છે. रसिकानन्दःगी, આ વિશેષતા એને રસવિષયક અન્ય ગ્રંથો-પ્રકરણગ્રંથોથી અલગ તારવી આપે છે. ' સંભવિતતા એવી પણ ખરી કે આ विशेषता, એના આશ્રયદાતાની તો ખરી જ, પણ કદાચ એની પોતાની પણ દઢ પુષિમાર્ગીય આસ્થામાંથી જન્મેલી હોય. Vol. XXXVII, 2014 શ્રુંગારરસ અને સતીપ્રથા : એક નોંધ 193 रसिकानन्द:न., તેર પ્રકરણો છે. પહેલા પ્રકરણમાં રસસંબંધી પારિભાષિક સંજ્ઞાઓની સમજણ આપી છે. પછીનાં દસ પ્રકરણોમાં - પ્રકરણ ર થી ૧૧માં - શ્રુંગારથી શાન્ત અને ભક્તિ સુધીના દસ રસોનું પ્રત્યેકમાં એક લેખે નિરૂપણ છે. બારમું પ્રકરણ સંચારી ભાવોનું છે અને છેલ્લામાં પ્રકીર્ણ વિષયો (ભાવશબલતા, રસાભાસ વગેરે) વર્ણવાયા છે. એકંદરે લગભગ ૩૫૦ જેટલા શ્લોકોમાં સંક્ષેપથી આશાધરે રસોના વિષયની રજુઆત કરી છે. -~ બધામાં બીજું શરંગારપ્રકરણ સૌથી મોટું છે, એના ૮૮ શ્લોકો છે, આખા ગ્રંથના ચોથા ભાગ જેટલા આશાધર સીધી શંગારની વ્યાખ્યાથી જ શરૂઆત કરે છે : यूनो: परस्परप्रीति: स्थायी થાવો रतिप्रथ: । स एव પુ श्रूज्वारो रसस्तस्य પિર દૂ ॥ ૨.૨ ॥ _ યુવાન નર-નારીની પરસ્પર પ્રીતિ ते જ રતિ નામે જાણીતો સ્થાયી
Conclusion
સાંકળીને એમાં આશાવાદી અંશ ઉમેરે છે, અને પછી એમાં પતિન્રતા ધર્મની સિદ્ધિ તથા સહગમનનું ફળ દશાવિ છે અને સતી पूर्णरसा भवेत् એમ દર્શાવીને પૂર્ણરસ તે વિષ્ણુનો, કૃષ્ણનો, વૃન્દાવનનો એવા વૈષ્ણવધર્મી નિર્દેશ સાથે સતીમરણની કૈંક સામાજિક લાચારીને-નિરાશાને વ્યંજિત કરતી ઘટનાને ધાર્મિક ઉચ્ચતાનું દરિગોરવ બક્ષવાનો સબળ પ્રયાસ કરે છે. સતી થવાના કેટલાક પ્રસંગોના સવિસ્તર વર્ણનો માટે જુઓ : ભરૂચ શહેરનો ઈતિહાસ પ્રાચીન અને અર્વાચીન, લેખક ગણપતરામ હિમ્મતરામ દેસાઈ, મુ.ઇચ્છાલાલ અમૃતલાલ મામલતદારના શ્રી જ્ઞાનોદય પ્રિન્ટિંગ પ્રેસ, 33 પાસે, ભરૂચ, આવૃત્તિ પહેલી, સંવત ૧૯૭૦, ને ૧૯૧૪ એ પુસ્તકમાં વિશેષે પ્રકરણ ૧૮મું, “પવિત્ર સ્રી-પુરુષ', પૂ.૮૭-૧૦૦. આ નોંધની વીગતો માટે હું ડૉ. મયૂરી ભાટિયાનો આભારી છું.