સત્રિય લોકનાટ્ય
By Bhimji Khachariya
Summary
સત્રિય લોકનાટચ ભીમજી ખાચરિયા લઘુસાર ભારતીય શાસ્ત્રીય અને લોકનૃત્ય વિષયક સંશોધનમાં સત્રિય લોકનાટય વિષયક આ સંશોધન લેખમાં ભરતમુનિ રચિત નાટ્યશાસ્રના સિદ્ધાંતો, રામાયણ, મહાભારત, સંસ્કૃત મહાકાવ્યો વગેરેને ધ્યાનમાં રાખી ભારતીય લોકનૃત્યની મીમાંસા અને ભારતનાં પૂર્વોત્તર રાજયમાં થતાં લોકનૃત્ય સત્રિય અંગે અહીં સંશોધન કરી આ નૃત્યને વિશેષ રીતે અહીં મુકવાનો આ સંશોધન લેખમાં પ્રયત્ન કરેલ છે. લોકનાટયની વ્યાખ્યા, આસામ પ્રદેશ, એ પ્રદેશના સમાજ સુધારક શ્રીમંત શંકરદેવ, વૈષ્ણવ મઠ અને કૃષ્ણભક્તિ, કૃષ્ણની લીલાઓનાં વિવિધ વર્ણનો વગેરેને પણ અહીં ચર્ચમાં લીધેલ છે. લોકનાટ્ય સત્રિયની કલાપક્ષ અને ભાવપક્ષની ચર્ચા, સત્રિયની ભજવણી કે અભિનય માટેના સ્થળ, ગીત, સંગીત, આઠાર્ય વગેરેની પણ અહીં ચર્ચા કરી છે. વર્તમાન સમયે ભજવાતાં સત્રિય લોકતાટ્યોમાં થયેલા ફેરફારો વર્તમાન લોકજીવનની સમસ્યા, આધુનિકતા, લોકકલા અને સંસ્કૃતિનિાને પણ અહીં આ સંશોધન લેખમાં ચર્ચીને જરૂરી વિગતો આપવાનો પ્રયત્ન કરેલ છે. ભારતીય લોકનૃત્યો અને લોકન્નાટ્યોમાં વિસરાતા લોકનાટ્યો પૈકી પ્રમુખ સત્રિય લોકનાટચની અહીં વિગતે ચર્ચા કરવાનો પ્રયત્ત કરેલ છે. Key Word = ચાવીરૂપ શબ્દ ભરતમુનિ - સંસ્કૃત નાટયશાસ્રના પ્રણેતા લોકનાટચ - ગીત, સંગીત, સંવાદ અને અભિનયથી રજૂ થતું નાટક લોકનૃત્ય - ભારતીય લોકનૃત્યની પ્રસિદ્ધ લોકધર્મી શૈલી, ગ્રામ્ય નૃત્યો શ્રીમંત શંકરદેવ - આસામના પ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય ઇ.સ.૧૪૪૯ થી ૧૫૬૮ ગીત/સંગીત - ભારતીય લોકગીત અને લોકસંગીત આહાર્ય - ભારતીય અભિનયકળા સાથે જોડાયેલ વેશભૂષા અને અન્ય પદાર્થ 184 મળે છે. ભીમજી ખાચરિયા - SAMBODHI સત્રિય લોકનાટચ શ્રી ભરતમુનિ રચિત નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતોમાંથી નૃત્યસિદ્ધાંત અંગે સૌ પ્રથમ આ નૃત્ય વિભાવના “'नृत्य॑ गीताशिनयनं कवितालयुत्त भवेत ॥” નૃત્ય એ ગીત, અભિનય, ભાવ અને તાલથી સંમિલિત હોવું જોઈએ | “आस्थेनालम्बयेंद गीत॑ हस्तेनार्थ प्रदर्शयेत् । चक्षुभ्यों दर्शचदे પાવ पादाभ्यां तालमाचरेत् ॥” મુખથી.ગાન કરવું, હસ્ત વડે 5ार्यनो, અર્થ દર્શાવવો, બને નેત્રો વડે ભાવ પ્રગટ કરવો, oA : પગ વડે અભિનયથી તાલનું અનુસરણ કરવું એ નૃત્ય છે કારણ કે “ચત્તો हस्तस्ततो द्रष्टियतो दृष्टि्ततो मनः यत्तो मनस्ततो પાયો વતો भावस्ततो @’ જયાં હસ્ત જાય છે ત્યાં દષ્ટિ જાય છે, જયાં-દરિ જાય છે ત્યાં મન જાય છે; જ્યાં મન જાય છે - . ભાં ભાવ જાય છે અને જયાં ભાવ હોય છે ત્યાં રસાનુભૂતિ હોય છે. ભારતીય નૃત્યકલા અંગે ભારતીય મહાકાવ્યોમાં વાલ્મિકી રચિત રામાયણ ગ્રંથમાં ભગવાન રામચંદ્રન રાજયાભિષેક વખતે પણ લોકનૃત્યની કલાનો ઉલ્લેખ મળે છે “ત્રટ नत्तंकसंघानां गायकानांच પાવતામ । ' ચત્ત: कर्ण्सुखवाच: सुश्राव जनता તતઃ ॥” રામાયણના આ શ્લોકમાં કહેવાયું છે કે, અભિનેતા નર્તક, નર્તકીઓ, ગાયક અને એમનાં ગાન અને મનોહર વચનને પ્રજા આનંદથી સાંભળતી હતી. રામાયણના અનેક કાંડમાં આ રીતે : નૃત્યના ઉલ્લેખ મળે છે. આ બાબતના ઉદાહરણો અહીં આ મુજબ જોઈ શકાય. उपनृत्यंत: भरतं भरद्वाजस्य शासंनात् । (उत्तरकाण्ड) गीतं, નૃત્ય च वाद्य च लभ मां प्राप्य मैथिलि
Conclusion
માત્ર ભૌતિકતા કે સત્તાથી જ હોય એવું નથી. જીવતતની સાચી સમૃદ્ધિ આપણાં સાંસ્કૃતિક વારસાના પવિત્ર વારસદાર બની એનું જતન કરી માનવમૂલ્યોને ઉજાગર કરી આપનારી માનવજાતને ઉત્તમ સંસ્કાર તરફ દોરી જવામાં પણ છે. ભારતીય લોકનાટચોમાં સત્રિય આજે પણ લોકકલા અને સંસ્કૃતિ નિષ્ઠાને લીધે ભારતવર્ષની એક ઓળખ છે. સંદર્ભ ઉપાધ્યાય, અમૃત અભિનયદર્પણમ્, સરસ્વતી પુસ્તક, અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૧૦ o ૨. શુકલ, બાબુલાલ નાટ્યશાસ્ર, ચૌખંબા સંસ્કૃત સંસ્થાન, વારાણસી, પુનર્મુદ્રણ વિ.સં. २०६७ ૩. શ્રીવાસ્તવ, અવિનાશ (અનુવાદક) મૂળ લેખક કડકિયા, કૃષ્ણકાંત લોકત્તાટય - ભવાઈ, કડકિયા ટ્રસ્ટ અમદાવાદ, પ્રથમ આવૃત્તિ, ૨૦૦૬ - X મિશ્રા, સુપ્રભા ભારતીય चूत्य, પ્રવીશ પ્રકાશન, રાજકોટ, પ્રથમ આવૃત્તિ - ૨૦૦૫ પ. www.ccrtindia.gov.in